નવરાત્રી નું આગમન … (નવરાત્રી એટલે …) …
નવરાત્રી એટલે …
આ પર્વ રાત્રી પ્રધાન માનવામાં આવ્યો છે કારણ કે આ દિવસોનાં નવેનવ દિવસ સાથે રાત્રી શબ્દ જોડાયેલો છે સંસ્કૃતમાં કહે છે કે रात्रि रूपा यतोदेवी, दिवा रूपो महेश्वर: અર્થાત દિવસ એ શિવ (પુરુષ) તત્વ રૂપ છે અને રાત્રી એ શક્તિ (પ્રકૃતિ) સ્વરૂપા છે આ એક જ તત્વનાં બે સ્વરૂપ છે જે જુદા જુદા સમયે દૈદીપ્યમાન થાય છે. દૈવી ભાગવતમાં કહે છે કે જો આપ દેવીનાં ઉપાસક હોય તો દિવસ દરમ્યાન વ્રત ઉપવાસ કરવા જોઈએ અને સંધ્યા અથવા રાત્રીનાં સમયે દેવીનું પૂજન, પાઠ અને ઉપાસના કરવાથી આપની આધ્યાત્મિક શક્તિનો સર્વાત્મક રીતે વિકાસ થાય છે જેને કારણે આપ સફળતાનાં અનેક માપદંડો મેળવી લો છો.
No comments:
Post a Comment